''ચોર કોટવાલ કો ડાંટે''..પાકિસ્તાનની નવી હરકતઃ ભારત ત્રાસવાદ ફેલાવે છે તેવો મુકયો આરોપ
ભારતને સોંપ્યું ડોઝીયરઃ જુઠ્ઠા આરોપોઃ ભારતને બદનામ કરવા પ્રયાસ
નવી દિલ્હી તા. ૯ : ખળભળી ઉઠેલ પાકિસ્તાન સતત કાશ્મીર મુદદે ભારત વિરૂદ્ધ માહોલ બનાવવામાં લાગ્યું છે પણ તેને કયાંય સફળતા મળતી જ નથી એ વાતથી ભડકી ઉઠેલ પાકિસ્તાને વધુ એક નીમ્ન સ્તરની ચાલ ચાલીને ભારત ઉપર ત્રાસવાદને સમર્થન આપવાનો ખોટો આરોપ મુકયો છે ગયા સપ્તાહે પાકિસ્તાને ભારતને એક ડોઝીયા સોપ્યું છે જેમાંં તેણે દાવો કર્યો છે કે ભારતીય એજન્સીઓ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપી રહી છે. આવા ડોઝીયરને ભારતીય અધિકારીઓએજુઠ્ઠુ અને અત્યારી ગણાવી તેને ફગાવી દીધું છ.ેઅધિકારીઓએ ડોઝીયરને ભારતને બદનામ કરવાના પ્રયાસો સમુ ગણાવ્યું છે હાલ એ સ્પષ્ટ નથી કે પાડોશી દેશે ખોટુ ડોઝીયર શા માટે સોપ્યું.
ભારતે પાકને કહ્યું છે કે પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાવ્યુ કોરીડોરના ઉપયોગ ઉપર મનાઇ ફરમાવે એવું બની શકે કે આ બાબતથી ધ્યાન ભટકાવવા માટે આ ડોઝીયર અપાયું હોય. ભારતનું કહેવું છે કે ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવા માટે પાકિસ્તાને આપવું કર્યું છે.