મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

મસૂદ અઝહર જેલમુકત જૈશ હુમલો કરવાની તૈયારીમાં

ભારત વિરૂધ્ધ ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન-ત્રાસવાદી મસૂદ અઝહરને ચુપચાપ છોડી મૂકયોઃ સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન સેલ્ટરમાં મોટી ''કાર્યવાહી'' થવાની આશંકા

નવી દિલ્હી તા.૯: પાકિસ્તાન ફરી એક વાર ભારતમાં નાપાક હરકત કરવાની વેતરણમાં છે ઇન્ટેલીજન્સ બ્યુરો (આઇબી)એ રાજસ્થઆન પાસે ભારત-પાક સરહદ પર વધારાના પાકિસ્તાની સૈનિકોની તહેનાતી અંગે સરકારને સાવધ કરી છે. સાથે જ કહ્યું છે કે ઇસ્લામાબાદ એક મોટી કાર્યવાહીને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું છે આઇ બી એ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાને બે વોન્ટેડ આતંકવાદીઓને આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવા માટે છોડી પણ મુકયા છે આ ખાબતની માહિતી ધરાવતા એક અધિકારીએ હિંદુસ્તાન ટાઇમ્સને આ માહિતી આપી છે. ઇન્પુટ મુજબ, ભારત સરકારે કાશ્મીરમાં ૩૭૦ હટાવવામાં જવાબમાં પાકિસ્તાન આગામી દિવસોમાં સિયાલકોટ-જમ્મુ અને રાજસ્થાન સેકટરોમાં મોટી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. ઇન્ટેલીજન્સને એવી માહિતી મળી છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના લીડરને પણ હવે છોડી મુકાયો છે અને તે મોટી આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો છે. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને રાજસ્થાન સેકટરોમાં સંબંધિત સીમા સુરક્ષા દળો અને સૈન્યને જાણ કરી દેવાઇ છે સાથેજ તેમને પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓની કોઇ પણ આશ્ચર્ય જનક ગતિવિધી સામે સાવધ રહેવાનું કહેવાયું છે. બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે આઇબી ઇનપુટે કહ્યું કે પાકિસ્તાને ગુપ્ત રીતે જેશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને છોડી મુકયો છે. અજય આતંકવાદી સંગઠનો પણ અત્યારે સક્રિય થઇ ગયા છે.

 

(11:28 am IST)