છેતરપીંડી કેસમાં મર્ડર-2ના અભિનેતા પ્રશાંત અને તેની પત્નીની ધરપકડ
પ્રશાંત તેમની પત્નીના પિતાની મુંબઈમાં કંપનમાં રોકાણ કરવાનું કહી છેતરપીંડીની આરોપ
મુંબઈ " મર્ડર 2ના એક્ટર પ્રશાંત નારાયણને છેતરપીંડિના કેસમાં ધરપકડ કરાઈ છે. અને જેલ હવાલે કરી દેવાયો છે. કેરળ પોલીસના અધિકારીના હિસાબે પ્રશાંત અને તેની પત્નીની મુંબઈમાંથી ધરપકડ કરાઈ છે.
ઈમરાન હાશમીની ફિલ્મ મર્ડર-2માં વિલેનનો રોલ કરનારા પ્રશાંત નારાયણની છેતરપીંડિના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. થૉમસ પૈનિકર નામના વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. 2017માં પ્રશાંતે એક મલયાલમ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ થૉમસ અને પ્રશાંત વચ્ચે મીત્રતા થઈ હતી. પ્રશાંતે થૉમસને કહ્યું કે, તેમની પત્નીના પિતાની મુંબઈમાં એક કંપની છે. અને જો થૉમસ તેમાં રોકાણ કરશે તો તે ડાયરેક્ટર બની શકે છે. જેના હિસાબે થૉમસે 1.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે પછી તેને ખ્યાલ આવ્યો કે, તેની સાથે છેતરપીંડિ થઈ છે. અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કેરળ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, 7 અધિકારીઓની એક ટીમ મુંબઈ પહોંચી હતી. ત્રણ દિવસ નજર રાખ્યા બાદ ધરપકડ કરી છે. ટ્રાન્સફર વોરંટના આધારે પ્રશાંત અને તેની પત્નીને કેરળ લઈ જવાયા છે. અને 20 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પણ મંજૂર કરાયા છે.