મુખ્ય સમાચાર
News of Thursday, 9th August 2018

મુંબઈના ચેમ્બુરમાં ભારત પેટ્રોલિયમ પ્લાન્ટમાં આગ ભભૂકી :21 લોકોને ઇજા

ફાયર બ્રિગેડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા :પ્લાન્ટને ખાલી કરાવાયો: અનેક લોકો ફસાયાની આશંકા

મુંબઈના ચેમ્બુરમાં ભારત પેટ્રોલિયમ પ્લાન્ટમાં આગ લાગ્યાના અહેવાલ મળે છે આગમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.જોકે 21 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. જેમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.

  આગની ઘટના પછી ફાયર બ્રિગેડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. પ્લાન્ટને ખાલી કરી દેવામાં આવ્યો છે. સુત્રોના મતે હજુ પણ પ્લાન્ટમાં ધમાકાની અવાજો સાંભળવા મળી રહી છે.

  આગમાં ઘણો લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે મુંબઈના ચેમ્બુર ક્ષેત્રમાં ભારત પેટ્રોલિયમમાં બુધવારે સાંજે અચાનક આગ લાગવાની સૂચના મળી હતી.

(12:00 am IST)