કાશ્મીરમાં ભાજપના નેતાઓ આતંકીઓના નિશાન પર છે : ચાર વર્ષમાં ૩ બીજેપી નેતાની હત્યા થઈ છે
(સુરેશ એસ દુગ્ગર) જમ્મુ;કાશ્મીરમાં છેલ્લા ચાર વર્ષમાં ભાજપના વરિષ્ઠ નેતાની હત્યાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા 2 નવેમ્બર, 2017 ના રોજ શોપિયાંમાં ભાજપ યુવા એકમના જિલ્લા વડા ગૌહર બટનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે બટ્ટનું માથું કાપેલી લાશ મળી. ગયા વર્ષે 4 મેના રોજ આતંકવાદીઓએ ભાજપના વૃદ્ધ નેતા ગુલ મોહમ્મદ મીર અટલની અનંતનાગના નૌગમ વેરીનાગમાં ઘરની બહાર હત્યા કરી હતી.
જૂન મહિનાની શરૂઆતમાં કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી
કાશ્મીરમાં આતંકનું નવું પર્યાય જેહાદી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) દ્વારા આ હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો. છેલ્લા 17 વર્ષોમાં ખીણમાં આતંકીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યાની આ પહેલી ઘટના છે. આ સરપંચ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા. સ્થાનિક અગ્રણીઓ દ્વારા અજય પંડિતની હત્યાની નિંદા કરવામાં આવી હતી.