કૃષ્ણની દ્વારકા શોધવા વૈજ્ઞાનિકોની સમુદ્રમાં ડૂબકીઃ શુક્રવારે ડીસ્કવરી ચેનલ પર થશે પ્રસારણ
નવી દિલ્હીઃ દેશમાં મનોરંજન ઉદ્યોગની દિન બદિન થઇ રહેલી પ્રગતિની સાથે દુનિયભારના ફિલ્મ પ્રોડકશન હાઉસ અને ટેલીવીઝન ચેનલો પોતાની દરેક સ્ટોરીમાં ભારતિય પૃષ્ઠભુમિને પણ કયાંકને જરૂર સામેલ કરે છે. ડીસ્કવરી ચેનલે આનાથી પણ બે ડગલા આગળ વધીને પોતાની નવી સીરીઝ એડીપેડીશન અનનોનનો પહેલો એપિસોડ જ ભારતની એક એવી જગ્યા પર બનાવ્યો છે, જેના અંગેના પુરાણોથી માંડીને આધુનિક ઇતિહાસ સુધીના અનેક કિસ્સાઓ મોજૂદ છે.
દુનિયાના સૌથી મશહૂર શોધકર્તાઓમાંના એક જોશ ગેટસ આગામી શુક્રવારથી ડીસ્કબરી ચેનલ પર એક નવો શો લઇને આવી રહ્યા છે જેનું નામ છે એક્ષપેડીશન અનનોન એટલેકે અજ્ઞાતની શોધની યાત્રા આ યાત્રાનો પહેલો પડાવ ગુજરાતનું દ્વારકા શહેર છે.
પુરાણોમાં તેને ભગવાન કૃષ્ણની નગરીના નામે ઓળખવામાં આવે છે અને એમ પણ કહેવાય છે કે આ પૌરાણિક શહેર મહાભારત કાળમાંજ સમુદ્રની અંદર સમાઇ ગયું હતું. જોશ હવેએ શોધવા નિકળ્યા છે કે શું દ્વારકા નગરી હકકીતમાં સમુદ્રમાં નીચે છે આ શોધમાં જોશથી સાથે દુનિયાના કેટલાક પ્રસિધ્ધ વૈજ્ઞાનિકોની ટીમ પણ છે. સુત્રોનું માનીએ તો આ ટીમે સમુદ્રની અંદર ડુબકીઓ લગાવીને કંઇક એવું શોધી કાઢયું છે જે અત્યાર સુધીની દ્વારકા માટેની વાતોને નવો મોડ આપી શકે છે.
પુરાણો અનુસાર, દ્વારકાને ભગવાન કૃષ્ણએ દૈવી શક્તિઓનું આહવાન કરીને રચી હતી અને તેની બધી ઇમારતો સોને મઢેલી હતી. સમુદ્રની અંદરથી નિકળેલી આ નગરીની ચારે તરફ એકમ ોટી પથ્થરોની દિવાલ હતી જેણે સદીઓ સુધી તેને આક્રમણ કર્તાઓથી બચાવી હતી. ભગવાન કૃષ્ણના અવસાન સાથે જ આ નગરી ફરીથી સમુદ્રમાં સમાઇ ગઇ હતી. જોશ આ પૌરાણિક કથાને વર્તમાન સમયમાં શોધવા નિકળ્યા છે. તેમની સફર કેવી રહી તેની જ કથા તેમની ટીવી શોના પહેલા હપ્તા રૂપે દર્શાવવામાં આવશે.