મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

ઓસ્ટ્રીયામાં તુર્કી સમર્થિત કટ્ટરપંથી સાત મસ્જીદો થશે બંધ:ઇમામોને કરાશે બરતરફ

60 ઇમામોના હોમ પરમિટની તપાસ:સમાજ,રાજકીય ઇસ્લામ અને ચરમપંથ માટે આ દેશમાં કોઇ જગ્યા નથી.

ઓસ્ટ્રીયામાં તુર્કી સમર્થિત કટ્ટરપંથી મનાતી સાત મસ્જિદ બંધ કરવા અને ઇમામોને બરતરફ કરવા ઓસ્ટ્રિયાની સરકારે નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રીયામાં સરકારે કહ્યું હતું કે ‘રાજકીય ઇસ્લામ’ અને ધાર્મિક સમૂહોને મળનારી વિદેશી રાશી સામે કાર્યવાહી કરતા સાત મસ્જીદને કરવા અને ઇમામોને બરતરફ કરવા જઇ રહી છે.

   ચાન્સેલર સબેસ્ટિયન કુર્ઝે કહ્યું હતું કે, સરકાર વિયનામાં એક કટ્ટરપંથી તુર્કી રાષ્ટ્રવાદી મસ્જીદોને બંધ કરી રહી છે. છ મસ્જીદોનું સંચાલન કરનારા સમૂહ અરબ ધાર્મીક સમુદાયને ભંગ કરી રહી છે. કુર્ઝના જણાવ્યા પ્રમાણે તુર્કીના સમર્થનમાં બાળકોના શેરી લડાઇ અને મરવાના અભિયાનની તસવીરો સામે આવ્યા પછી આ નિર્ણય લેવાયો છે. સમાજ, રાજકીય ઇસ્લામ અને ચરમપંથ માટે આ દેશમાં કોઇ જગ્યા નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ફોલ્ટર વીક્લી નામના સમાચાર પત્રમાં આ તસવીરો છપાઇ હતી. જેમાં બતાવવામાં આવ્યું હતું કે, બાળકો સૈનિક પહેરવેશમાં માર્ચ અને સેલ્યૂટ કરી રહ્યા છે. ત્યારબાદ તુર્કી ઝંડા ફરકી રહ્યા છે. ત્યારબાદ તેઓ મરવાનું અભિયાન કરી રહ્યા છે અને તેમની લાશોને એક સાથે ઝંડામાં લપેટવામાં આવે છે.

  ઓસ્ટ્રીયામાં 2015માં એક કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો જેમાં કોઇપણ ધાર્મીક સંગઠન વિદેશો પાસેથી ફંડ નહીં લઇ શકે. આ નિયમ અંતર્ગત વિદેશો પાસેથી ફંડ લેનારી મસ્જીદોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  ઓસ્ટ્રીયામાં ગૃહમંત્રી હર્બર્ટ કિકલના જણાવ્યા પ્રમાણે તુર્કી-ઇસ્લામિક સાંસ્કૃતક સંગઠન(ટીઆઈબી)ના 60 ઇમામોના હોમ પરમિટની તપાસ થઇ રહી છે. કિકલે દાવો કર્યો છે કે, બે મામલામાં પરમિટને ખત્મ કરવામાં આવ્યા છે. જ્યારે 5 અન્ય ઇમામોની પરમિટ આપવા માટે ઇન્કાર કરી દીધો છે.

 તાજેતરના વર્ષોમાં ઓસ્ટ્રીયા અને તુર્કી વચ્ચે કડવાહટ વધી રહી છે. ઓસ્ટ્રીયના હાલના ચાન્સેલરે ગત વર્ષે પોતના ચૂંટણી અભિયાનમાં ઇમિગ્રેશન અને મુસલમાનોના એકીકરણનો મોટો મુદ્દો બનાવ્યો હતો. આ ઉપરાંત તેઓ એ પણ ઇચ્છતા હતા કે, યુરોપીય યુનિયનમાં તુર્કીની સદસ્યતા અંગે રજૂ વાતચીતને રદ્દ કરવામાં આવી. ઓસ્ટ્રીયાના નિર્ણયથી તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈય્યપ અર્દોઆન ખાસે નરાજ થયા છે. ગુસ્સાના કારણે તુર્કીએ 2017માં ઓસ્ટ્રીયા અને નેટોના સહયોગથી વીટો કરી દીધો હતો. જેના કારણે 41 દેશોમાં નેટોના સહયોગથી થનારા અભિયાન ઉપર અસર પડી હતી. નેટોના અભિયાનમાં તુર્કી મહત્વનો સભ્ય છે. એટલા માટે એના પર વીટોનો ગણો પ્રભાવ છે. તુર્કીનું કહેવું છે કે, તેમના ત્યાં આશરે ત્રીસ લાખ સીરિયાઇ શરણાર્થીઓને જગ્યા આપી છે. પરંતુ તેમની મદદ માટે યુરોપીયન કંઇ નથી કરી રહ્યા.

 

 

(2:12 pm IST)