ભાજપના મજબૂત સાથી તરીકે છીએ : સુખબીર
એનડીએના તમામ સાથીઓ અકબંધ
બેંગ્લોર,તા. ૮ : શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે કહ્યું છે કે, એનડીએના તમામ સાથી પક્ષો પણ મજબૂતરીતે એક સાથે ઉભા છે. ભાજપ અને એનડીએ મજબૂત સાથી તરીકે હોવાની વાત સુખબીરસિંહ બાદલે કરી છે. શિરોમણી અકાળી દળના પ્રમુખે કહ્યું છે કે, અકાળી દર હમેશા એનડીએની સાથે છે. પાર્ટીના વડા પ્રકાશસિંહ બાદલ સહિત અકાળી દળના ટોપના નેતાઓને ભાજપ પ્રમુખ અમિત શાહ મળ્યા હતા. અમિત શાહે બેઠક યોજ્યા બાદ તેઓએ આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અકાળી દળ એનડીએના મુખ્ય ઘટક પક્ષ તરીકે છે. ૨૦૧૭માં વિધાનસભામાં કોંગ્રેસની જીત થઇ તે પહેલા સુધી અકાળી અને ભાજપની સરકાર હતી. આગામી વર્ષની ચુંટણીમાં તમામને એક સાથે આવવા સુખબીરે સાથી પક્ષોને અપીલ કરી હતી. અમિત શાહે પંજાબ ભાજપ એકમમાં લોકો સાથે પણ વાતચીત કરી હતી. સંપર્ક સમર્થન અભિયાનના ભાગરુપે હાલમાં વરિષ્ઠ નેતાઓને મળવાની ઝુંબેશ ચાલી રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા. સંપર્ક અભિયાનના ભાગરુપે સેલિબ્રિટીઓને પણ મળવાની પ્રક્રિયા ચાલી રહી છે.