ભાજપ નેતા મિથુન ચક્રવર્તી અને દિલિપ ઘોષ પર હિંસા ભડકાવાનો આરોપ :કોલકાતા પોલીસની મોટી કાર્યવાહી
ભાજપ કાર્યકરોએ ટીએમસી કાર્યકરોનો ઘરો સળગાવી દીધા :ફરિયાદમાં આરોપ
કોલકાતા પોલીસે ભાજપ નેતા મિથુન ચક્રવર્તી અને બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષની સામે એફઆઈઆર દાખલ કરી છે. મિથુન ચક્રવર્તી અને દિલિપ ઘોષ પર હિંસા ભડકાવવાનો આરોપ મુકાયો છે
ટીએમસી કાર્યકરની ફરિયાદને આધારે કોલકાતા પોલીસે ભાજપના આ બન્ને નેતાઓની સામે એફઆઈઆર દાખલ કરી છે. ટીએમસી કાર્યકરે કોલકાતા પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે દિલિપ ઘોષ અને મિથુન ચક્રવર્તીએ ભાજપ કાર્યકરોને પશ્ચિમ બંગાળમાં હિસા અને ક્રૂરતા ફેલાવવા માટે ઉશ્કેર્યા હતા. ટીએમસી કાર્યકરની ફરિયાદને આધારે રવિવારે કોલકાતા પોલીસે આ બન્ને નેતાઓની સામે કેસ દાખલ કરી દીધો છે.
કોલકાતા પોલીસમાં થયેલી ફરિયાદ અનુસાર, ભાજપ કાર્યકરોએ ટીએમસી કાર્યકરોનો ઘરો સળગાવી દીધા અને ઘરોમાં મોટી તોડફોડ કરી નાખી.ફરિયાદીએ જણાવ્યું કે બંગાળ હિંસા બદલ આ બન્ને નેતાઓ જવાબદાર છે. આ લોકો તેમની જવાબદારીમાંથી ન બચી શકે.