મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

લગ્ન કરવા જતાં વરરાજાને હોસ્પિટલમાં પહોંચાડાયો

બધા જાનૈયા હોમ ક્વૉરન્ટીન થયા : મધ્ય પ્રદેશના ધારમાં લગ્ન કરવા માટે જઈ રહેલો દુલ્હો પૉઝિટિવ નીકળતા તંત્રએ તેને હૉસ્પિટલમાં ખસેડ્યો

ભોપાલ,તા.૮ : મધ્ય પ્રદેશના ધારમાં અજીબ સ્થિતિ ઊભી થઈ છે. અહીં જાન લઈને જઈ રહેલો દુલ્હો કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. આવી સ્થિતિમાં લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. એટલું નહીં, દુલ્હાને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થયું એમ હતું કે ધારના બાગ ગામમાં દુલ્હા અને જાન લઈને જઈ રહેલી ગાડીનો ડ્રાઇવર કોરોનો સંક્રમિત નીકળ્યો હતો. જે બાદમાં તંત્રએ દુલ્હા અને ડ્રાઇવર બંનેને વિવાહ સ્થળની જગ્યાએ હૉસ્પિટલ મોકલ્યા હતા. મળતી માહિતી પ્રમાણે દુલ્હો તૂફાન વાહનમાં જાન લઈને જઈ રહ્યો હતો. દરમિયાન બાગ ગામના તંત્રની નજર બંને વાહન પર પડી હતી.

તંત્રએ બંને ટીમને રસ્તામાં રોકી હતી અને પૂછપરછ કરી હતી. માલુમ પડ્યુ કે લોકો કોબરદા ગામના છે અને પિપરી ગામ ખાતે જાન લઈને જઈ રહ્યા હતા. જે બાદમાં તંત્રએ બંને વાહનમાં સવાર લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં દુલ્હો અને ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેને તાત્કાલિક કુક્ષીની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અન્ય જાનૈયાઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને તંત્ર કોરોના ગાઇડલાઈનનું ખૂબ કડકથી પાલન કરાવે છે.

જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના વિરુદ્ધ ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવે છે. કેસમાં પોલીસની સંયુક્ત ટીમ મુખ્ય બજારમાં તૈનાત હતી. દરમિયાન તેમની નજર જાન પર પડી હતી. આને ભાગ્યનો નિર્ણય અથવા ભાગ્યની ક્રૂર મજાક કહો. સાત ફેરા લે તે પહેલા, જાન નીકળવાની જગ્યાએ અંતિમયાત્રા નીકળી છે. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

મંડપ સજાવી દેવામાં આવ્યો હતો અને બે દિવસ પછી બરાત નીકળવાની હતી, પરંતુ વરરાજા ઘરમાંથી અરથી નીકળી હતી. દુઃખદાયક ઘટના મધ્યપ્રદેશના રતલામના રાણીગાંવથી સામે આવી છે, જ્યાં એક પરિવારમાં લગ્નની ખુશી રાતોરાત શોકમાં ફેરવાઈ ગઈ છે. રાણીગામના ડોડીયા પરિવારના વરરાજા અજયસિંહની જાન મેના રોજ નજીકના અંબા ગામ જવાની હતી,

પરંતુ લગ્નના દિવસ પહેલા ૨૪ વર્ષીય વરરાજા અજયસિંહની અચાનક તબિયત લથડી હતી. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે જાવરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન વરરાજાએ દમ તોડી દીધો છે.

(12:00 am IST)