મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

યુપીના પાટનગરમાં ખતરનાક સ્થિતિ

સ્મશાન ગૃહે લાઇનો લાગી : આઠથી દસ કલાકે મૃતદેહનો અગ્નિદાહ માટે વારો આવે છે : ટોકન સિસ્ટમ્સ દાખલ કરવી પડી

લખનઉ તા. ૯ : લખનઉમાં ખૂબ જ ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. ઉત્ત્।ર પ્રદેશના પાટનગરમાં કોરોના નો ખોફ વધતો જ જાય છે, ત્યારે ટીવી-નાઇન ભારત વર્ષના વરિષ્ઠ પત્રકાર સમીર અબ્બાસે ટ્વિટ કરીને જણાવ્યું છે સ્મશાનગૃહની બહાર લાંબી કતારો લાગી ગઇ છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે આઠથી દસ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તંત્રને ટોકન સિસ્ટમ્સ લાગુ કરવાની ફરજ પડી છે. કોરોના કહેર બનીને તૂટી પડ્યો છે, ખૂબ જ સાવધાન રહેવા તેમણે વિનંતી કરી છે.

(11:18 am IST)