News of Thursday, 9th April 2020
કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા દેશના પ્રથમ ડૉક્ટરનું મોત
ઇન્દોર નિવાસી ડૉક્ટર શત્રુઘ્ન પંજવાનીનું કોવિન-19ને કારણે નિધન થયું
ઇન્દોર : કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા દેશના પ્રથમ ડૉક્ટરનું મોત થયું છે. ઇન્દોર નિવાસી ડૉક્ટર શત્રુઘ્ન પંજવાનીનું કોવિન-19ને કારણે નિધન થયું છે
. પ્રાપ્ત વિગત પ્રમાણે ડૉક્ટર પંજવાનીએ ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારના કામ સાથે જોડાયેલા ન હતા. આથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કોઈ કોવિડ 19 પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હશે.
(1:30 pm IST)