News of Thursday, 9th April 2020
છત્તીસગઢમાં કોરોનાના ૧૦માંથી ૯ દર્દીઓ સાજા થયા
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી હાલ વિશ્વ આખુ ઝઝુમી રહ્યુ છે, ત્યારે ભારતમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ ભારતમાં ૫૯૩૧ કેસ અને ૧૮૦ મોત થયા છે.
દરમિયાન છત્તીસગઢમાં કોરોના વિરૂધ્ધની જંગમાં સારા પરિણામ મળી રહ્યા છે. અહીં કોરોનાના ૧૦ કેસ હતા, જેમાંથી ૯ લોકો સાજા થઈ ગયા છે અને એક પણ મોત નથી થયુ.
મુખ્યમંત્રી બધેલે જણાવેલ કે ૧૦ દર્દીઓમાંથી ૯ પૂર્ણ રીતે સાજા થઈ ગયા છે અને એકમાત્ર દર્દી રાયપુરની એમ્સમાં સારવાર હેઠળ છે, જેની સ્થિતિમાં પણ સુધારો છે.
(11:29 am IST)