મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

અમેરિકામાં ૧૧ ભારતીયોને કોરોના ભરખી ગયો

મૃતકોમાં મોટાભાગના ન્યુયોર્ક અને ન્યુજર્સીનાઃ કુલ ૧૬ ભારતીયો કોરોનાગ્રસ્ત

વોશિંગ્ટન, તા. ૯ :. અમેરિકામાં કોરોના વાયરસને કારણે ઓછામાં ઓછા ૧૧ ભારતીયોના મોત થયા છે. જ્યારે ૧૬ લોકો સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. અમેરિકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં ૧૪૦૦૦ લોકોને ભરખી ગયો છે. ૪ લાખથી વધુ લોકો સંક્રમિત છે.

અમેરિકામાં આ ઘાતક સંક્રમણથી જે ભારતીય નાગરીકોના મોત થયા છે તે બધા પુરૂષો છે. જેમાંથી ૧૦ ન્યુયોર્ક અને ૧ ન્યુજર્સી વિસ્તારના છે. મૃતકોમાંથી ૪ ન્યુયોર્ક શહેરમાં ટેકસી ચાલક કહેવાય છે. ફલોરીડામાં એક ભારતીય નાગરીકનું મોત કથીત રીતે કોરોનાથી થયુ છે. આ સિવાય ૪ મહિલાઓ સહિત ૧૬ ભારતીયોને કોરોના થયો છે. તેઓ બધા સારવાર લઈ રહ્યા છે.

આમાંથી ૮ ન્યુયોર્કથી, ૩ ન્યુજર્સીથી અને બાકીના ટેકસાસ અને કેલીફોર્નિયા જેવા રાજ્યોના છે. આ ભારતીય ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને યુપી જેવા રાજયોના રહીશો છે. આ બધા ભારતીય દુતાવાસના સંપર્કમાં છે.

(9:56 am IST)