J&Kના સોપોરમાં સુરક્ષાદળોએ જૈશના કમાન્ડર સજ્જાદને ઠાર કર્યો
૪ એપ્રિલે કુલગામમાં પણ ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા
શ્રીનગર,તા.૯:જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં મંગળવારે મોડી સાંજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સજ્જાદ નવાબને ઠાર કરવામાં આવ્યો છે.
અગાઉ શનિવારે સેનાની પેરા સ્પેશિયલ ફોર્સીસ યુનિટના જવાનોએ એન્કાઉન્ટરમાં ૫ દ્યુસણખોરોને ઠાર કર્યા હતા જયારે ૪ એપ્રિલના રોજ કુલગામમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદિનના ૪ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ આતંકવાદીઓએ હાલમાં જ ૪ નાગરિકોની હત્યા કરી હતી. સુરક્ષાદળોને સૂચના મળી હતી કે તેઓ હર્દમનગુરી બટપોરમાં છૂપાયેલા છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને રાષ્ટ્રીય રાઈફલ્સે સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.(૨૨.૩)