મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

સરકાર કોરોનાના પ્રસારને રોકવા માટે લોકડાઉનની અવધિ વધારેઃ વેપારી સંગઠનની માંગ

નવી દિલ્લીઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ કેન્દ્ર સરકારને  કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉનની અવધિ વધારવાનો આગ્રાહ કર્યો છે. સીએઆઇટીએ કહ્યુ કે એમણે બધા રાજયોના વરિષ્ઠ વેપારી નેતાઓ સાથે કરેલ સર્વેક્ષણના આધાર પર આ ભલામણ કરી છે.

કોન્ફેડરેશનએ એક નિવેદનમાં કહ્યુ જો કે વેપારીઓને ઘણી વ્યાપારિક આર્થિક અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડતો હોય છતા પણ દેશના હીતમા રાષ્ટ્ર માટે સર્વશ્રેષ્ઠ સેવા આપવા માટે વેપારીઓ તૈયાર છે સરકાર જે નિર્ણય લેશે વેપારી તેને અનુસરશે.

(12:00 am IST)