News of Thursday, 9th April 2020
અમેરિકાના ન્યુયોર્ક સ્થિત ભારતીય મૂળના પત્રકાર શ્રી બ્રહ્મ કંચીબોતલાનો કોરોના વાયરસે ભોગ લીધો
ન્યુયોર્ક : અમેરિકામાં કોરોના વાઇરસના વધી ગયેલા વ્યાપે ભારતીય મૂળના લોકોનો પણ ભોગ લેવાનું શરૂ કરી દીધું છે.ખાસ કરીને ન્યુજર્સી તથા ન્યુયોર્કમાં ભારતીયોની વસતિ વધુ છે.જ્યાં કોરોના વાઇરસના કેસ પણ વધી રહ્યા છે.જે અંતર્ગત તાજેતરમાં ભારતીય મૂળના પત્રકાર શ્રી બ્રહ્મ કંચીબોતલાનો કોરોના વાયરસે ભોગ લીધો છે.તેઓ છેલ્લા 28 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા.66 વર્ષીય આ પત્રકારે 6 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(6:27 pm IST)