મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનના દીર્ઘાયુષ માટે BAPS મંદિરમાં પ્રાર્થના : યુ.કે.માં સ્થાયી થયેલા ભારતીયોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દીધા

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનનો  કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.જ્યાં આજરોજ બીજા દિવસે પણ તેમની હાલત સ્થિર છે.તેથી જોન્સન તથા તેમની પ્રેગનન્ટ મંગેતરના દીર્ઘાયુષ માટે બીએપીએસ મંદિરમાં પ્રાર્થના કરાઈ હતી.તેઓ અવારનવાર મંદિરની  મુલાકાત લેતા હતા.  છેલ્લે ચૂંટણી પહેલા મુલાકાત લીધી હતી.
ઉપરાંત યુ.કે.માં સ્થાયી થયેલા હજારો ભારતીયોએ પણ તેમના દીર્ઘાયુષ માટે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દીધા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)