હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ:કાલે થશે વોટિંગ
ભાજપ અને જનનાયક જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને સરકારનું સમર્થન કરવા કહ્યું
ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સરકાર વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ વિરૂદ્ધ સરકારના વલણનું સમર્થન કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ચીફ વ્હિપ કંવર પાલે પાર્ટી ધારાસભ્યોને બુધવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે.
કોંગ્રેસના ચીફ વ્હિપ ભારત ભૂષણ બન્નાએ મંગળવારે પાર્ટી ધારાસભ્યોને 10 માર્ચે વિધાનસભામાં મનોહર લાલ ખટ્ટર સરકાર વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાનું કહ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડાએ કહ્યું છે કે, તેમની પાર્ટી સરકારની અસફળતાઓ અને જનતાની સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માટે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ લાવશે.