News of Tuesday, 9th March 2021
બેંગ્લોરમાં આર.એસ.એસ.ની પ્રતિનિધિ સભાઃ ભાવિ કાર્ય યોજના બનાવાશે
નવી દિલ્હી, તા. ૯ :. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા તા. ૧૮ અને ૧૯મીએ બેંગ્લોરમા મળશે. જેમાં કોરોના કાળના અનુભવોના આધારે ભવિષ્યની કાર્ય યોજના તૈયાર થશે.
સંઘના સંગઠનની ૩ વર્ષ ગતિવિધિ પર ચિંતન સાથે યોજના બનશે. સંઘની પ્રવૃતિમાં કોરોનાની અસર પડેલ. મહિનાઓ સુધી સંઘની શાખાઓ બંધ રહી હતી. આ સમયગાળામાં લોકોને સહાય કરવામાં સંઘના સ્વયંસેવકો સક્રીય રહ્યા હતા. બેઠકમાં દેશના ૫૦૦ પ્રતિનિધિઓ અપેક્ષિત છે. અન્ય અપેક્ષિત પ્રતિનિધિઓને બે સત્રમાં ઓનલાઈન જોડવામાં આવશે.
(3:45 pm IST)