મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

પૂ. મોરારીબાપુએ સાવરકુંડલામાં કોરોના વેકસીન લીધીઃ રાષ્ટ્રીય કાર્યમાં લોકોને સહયોગ આપવા અપીલ

રાજકોટઃ પૂ. મોરારીબાપુએ આજે સવારે સાવરકુંડલા ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોરોનાની રસી લીધી હતી. આ તકે પૂ. મોરારીબાપુએ કોરોના જેવી મહામારી સામે લડવા માટે સરકારના રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપવા માટે લોકોને અપીલ કરી હતી અને ભય વગર કોરોના વેકસીન લેવા જણાવ્યુ હતુ. પૂ. મોરારીબાપુનું લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ટ્રસ્ટીઓ અને તબીબો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. પૂ. મોરારીબાપુએ આશિર્વાદ પાઠવ્યા હતા. તસ્વીરમાં પૂ. મોરારીબાપુ વેકસીન લેતા નજરે પડે છે.

(11:22 am IST)