મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

ઉત્તરાખંડના મુખ્યમંત્રીની વિદાય નિશ્ચિત : અમિતભાઈની હાજરીમાં લેવાયેલ નિર્ણય : નવા મુખ્યમંત્રીપદે અનિલ બલૂની અને ધનસિંહ રાવતના નામ મોખરે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની વિદાય નિશ્ચિત : એકાદ - બે દિવસમાં ધારાસભ્યોની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે : અમિતભાઈની ખૂબ જ નજીક ગણાતા રાજયસભાના સાંસદ અનિલ બલૂનીનું નામ મુખ્યમંત્રીપદમાં મોખરે છે જયારે બીજુ નામ ધનસિંહ રાવતનું પણ નામ ચાલી રહ્યુ છે તેઓ હાલના કેબીનેટ મીનીસ્ટર છે : આમ ઉત્તરાખંડમાં ભાજપના મુખ્યમંત્રી બદલાય છે તે હવે નિશ્ચિત બની ગયુ છે : ગઈકાલે અમિતભાઈની ઓફીસે યોજાયેલ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડી.એલ.સંતોષ અને ઉત્તરાખંડ ખાસ મોકલેલા નીરીક્ષક દુષ્યંત ગૌતમ ઉપસ્થિત રહેલ : આ મીટીંગમાં નિર્ણય લેવાયાનું જાણવા મળે છે

(11:51 am IST)