નિરવ મોદી બાદ હવે મેહુલ ચોક્સીઅે તબિયતનું બહાનુ બતાવીને CBI સમક્ષ હાજર થવા ઇન્કાર કરી દીધો
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થઇ ગયેલ નિરવ મોદી બાદ હવે મેહુલ ચોક્સીઅે પણ તબિયતનું બહાનુ બતાવીને સીબીઆઇ સમક્ષ હાજર થવા ઇન્કાર કરી દીધો છે.
મેહુલ ચોકસીએ પત્રમાં ખરાબ સ્વાસ્થયનો હવાલો આપી ભારત આવવાનો ઈન્કાર દીધો છે. મેહુલે પત્રમાં વધુમાં કહ્યુ કે મારી ધરપકડ કરવામાં આવશે તો મારી તબિયત વધારે લથડી શકે છે. બિમારીની હાલતમાં મારી સારવાર માત્ર સરકારી હોસ્પિટલમાં કરવામાં આવશે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મેહુલ ચોકસી અને નિરવ મોદી દેશ છોડીને ફરાર થયા છે.
મેહુલ ચોકસી અને નિરવ મોદી વિરૂદ્ધ પીએનબી સાથે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે. ઈડી સહિતની તપાસ એજન્સીઓએ નિરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડો રૂપિયાની સંપત્તિને જપ્ત કરી છે. ત્યારે હવે નિરવ મોદી બાદ મેહુલ ચોકસીએ પત્ર લખી સીબીઆઈ સમક્ષ હાજર થવાનો ઇન્કાર કર્યો છે.