મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

થપ્પડ વિવાદઃ હું જિદ્દી છું, પણ હિંસક નથીઃ કેજરીવાલ

નવી દિલ્હી તા. ૮ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીના ધારાસભ્યો દ્વારા મુખ્ય સચિવ સાથે મારપીટ કરવાના મામલે પોતાની ચુપ્પી તોડતાં કહ્યું કે, હું જિદ્દી છું પણ હિંસક નથી.

કેજરીવાલે કહ્યું કે, બધા જ અધિકારીઓ એક પરિવાર છે. દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'મારામારી કરવાનું કામ કાયર કરે છે. મારા પર લગાવવામાં આવેલા આરોપ પાયા વગરના છે કે મેં અંશુ પ્રકાશને રાતમાં મારા ઘરે બોલાવ્યા અને તેમની સાથે મારપીટ કરી.'

વધુમાં તેમણે કહ્યું કે, 'હું જિદ્દી છું, પણ હિંસક નથી. મારપીટમાં કાયર લોકો સામેલ થાય છે. કેજરીવાલ કાયર નથી.' જોઈન્ટ કાઉન્સિલ ઓફ ઓલ એમ્પ્લોઈઝ એસોસિએશનના બેનર હેઠળ કર્મચારી મુખ્યમંત્રીના ઘરે આવ્યા હતા.

(4:37 pm IST)