મુખ્ય સમાચાર
News of Sunday, 9th February 2020

એનસીપી અધ્યક્ષ શરદ પવારની હત્યાનું કાવતરું !! શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ

ફરિયાદીએ એન્ટી પવાર પોસ્ટને લઈ યુટ્યૂબ ચેનલ અને બે યુટ્યૂબર પર કરી :અમુક સ્ક્રિન શોટ પણ આપ્યા :19 દસ્તાવેજો પણ પોલીસને સોંપ્યા !!

મુંબઈ : એનસીપીના અધ્યક્ષ શરદ પવારની હત્યાનું ષડયંત્ર રચવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ ફરિયાદ એનસીપી કાર્યકર્તા લક્ષ્‍મીકાંત મોહનલાલ ખાબિયાએ કરી છે.

ખાબિયાએ પોતાની ફરિયાદમાં એન્ટી પવાર પોસ્ટને લઈ યુટ્યૂબ ચેનલ અને બે યુટ્યૂબર પર કરી છે. ખાબિયાએ પોતાની ફરિયાદમાં અમુક સ્ક્રિન શોટ પણ આપ્યા છે અને સાથે 19 દસ્તાવેજો પણ પોલીસને આપ્યા છે.

મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત અનેક નેતાઓના ફોન ટેપીંગનો મામલો સામે આવ્યો હતો. ગત લોકસભામાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ફોન ટેપીંગ થયા હોવાનો આરોપ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ લગાવ્યો હતો.

(12:00 am IST)