News of Thursday, 9th January 2020
હિંસામાં બિલકુલ વિશ્વાસ નથી : સની લિયોનનો મત
હિંસા સિવાય અન્ય રસ્તાની જરૂર
મુંબઈ, તા. ૯ : દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના વિરોધમાં હજુ સુધી અનેક સેલિબ્રિટી મેદાનમાં આવી ચુકી છે. કેટલાક સેલિબ્રીટીઓ મુંબઈમાં જાહેર રસ્તા ઉપર આવી ચુક્યા છે. કેટલાકે સોશિયલ મિડિયા ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દિપીકા ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચી ગઈ હતી. હવે આ મામલામાં સની લિયોને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે, તે હિંસામાં બિલકુલ વિશ્વાસ રાખતી નથી. તેનું કહેવું છે કે, હિંસા વેળા કોઇ વ્યક્તિને ઇજા થતી નથી બલ્કે સમગ્ર પરિવારને અસર થાય છે.
(8:05 pm IST)