રાહુલ ગાંધીના ઈન્ટરવ્યૂને ભાજપે 'પેઈડ ન્યૂઝ' ગણાવી ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના એક ઈન્ટરવ્યૂને માટે 'પેઈડ ન્યૂઝ' ગણીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી.
તાજેતરમાં જ રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં એક સ્થાનિક અખબારને ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જે મતદાનના 48 કલાક પહેલાં અને પ્રચાર અભિયાન પૂર્ણ થયા પછી પ્રસિદ્ધ થયો હોવાથી તે પેઈડ ન્યુઝ જ કહેવાય એવો ભાજપે દાવો કર્યો છે.
કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડા, મુખ્તાર અબ્બાસ નકવી સહિત એક પ્રતિનિધિમંડળે હૈદરાબાદથી પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યૂ સંદર્ભે ભાજપે ચૂંટણી પંચમાં એક મેમોરેન્ડમ રજૂ કર્યું છે. નિયમાનુસાર મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર અભિયાન બંધ કરી દેવામાં આવે છે. આ સમય દરમિયાન ઉમેદવારો કે રાજકીય પક્ષ જાહેર માધ્યમથી પ્રચાર કરી શકતાં નથી.