હવે હનુમાનજીને દલિત જાતિનું સર્ટિફિકેટ આપવાની માંગણી
કાશી તા.૮ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનજીને પણ 'દલિત' કહ્યા એ પછી વારાણસીમાં કેટલાક રાજનેતાઓ ભગવાન હનુમાનને પણ દલિત સર્ટિફીકેટ અપાવવા મેદાને પડયા છ.ે વારાણસીમાં જાતિ પ્રમાણપત્ર માટેના આવેદનમાં ભગવાન હનુમાનનો ફોટો લગાવ્યો છે. તેમના પિતાનું નામ કેસરી અનેમાતા અંજનાદેવી લખ્યું છ.ે ઉંમરના ખાનામાં લખ્યું છે અનંત. રહેઠાણમાં સ્થાનિક પ્રસિધ્ધ સંકટમોચન મંદિરનું એડ્રેસ છે અને જાતિના ખાનામાં ખાસ 'દલિત'શબ્દનો પ્રયોગ છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન શિવપાલસિંહ યાદવના નતૃત્વવાળી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)એ વારાણસી જિલ્લાના પ્રશાસન સામે ભગવાન હનુમાનને જાતિનું પ્રમાણપત્ર આપવાની અરજી કરી છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના જિલ્લા-અધ્યક્ષ હરીશ મિશ્રનું કહેવું છે કે જયારે ઉત્તર પ્રદેશના મુખિયાએ જ ભગવાનને જાતિમાં વહેચી નાખ્યા છે. તો તેમણે તેમની જાતિનંુ પ્રમાણપત્ર બહાર પાડવું જોઇએ જેથી આરક્ષણનો લાભ તેમને પણ મળી શકે. આ પ્રમાણપત્ર બધાં હનુમાન મંદિરોમાં લગાવી દેવામાં આવશે.(૬.ર૪)