મુખ્ય સમાચાર
News of Friday, 7th October 2022

અમેરિકામાં હવે ગાંજો રાખવા પર નહીં જવું પડે જેલમાં :ગાંજો રાખવાના હજારો દોષિત થશે જેલમુક્ત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને માંરિજુઆના રાખવાના દોષિત હજારો અમેરિકનોને માફ કર્યા

 

અમેરિકામાં હવે મર્યાદિત માત્રામાં ગાંજો રાખવા અથવા તેનો ઉપયોગ કરવા બદલ હવે જેલમાં જવાની જરૂર નથી. તેમજ આવા આરોપમાં સજા કાપી રહેલા લોકોને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મારિજુઆના રાખવાના દોષિત હજારો અમેરિકનોને માફ કર્યા. આ રીતે તેમણે મધ્યસત્ર ચૂંટણીના એક મહિના પહેલા પોતાના સમર્થકોને આપેલું વચન પૂરું કર્યું. બાઇડેન કહ્યું કે હું મારિજુઆના રાખવાના અગાઉના તમામ ગુનાઓ માટે માફી જાહેર કરી રહ્યો છું. જો કે, તેણે તેને સંપૂર્ણપણે ગુનામુક્ત બનાવવાનું આહ્વાન કર્યું નથી.

તેમણે કહ્યું કે દાણચોરી અને સગીર વયના લોકોને વેચાણ પર મર્યાદાઓ યથાવત રહેવી જોઈએ. અમેરિકાના ઘણા રાજ્યોમાં, લોકોને ફક્ત તબીબી ઉપયોગ માટે જ નહીં, પણ શોખના ઉપયોગ માટે પણ ગાંજો ખરીદવાની મંજૂરી છે. એક સમાચાર મુજબ, તાજેતરના મતદાન દર્શાવે છે કે મોટાભાગના અમેરિકનો માને છે કે ગાંજો કાયદેસર હોવો જોઈએ. બાઇડેન કહ્યું કે ગાંજાના કબજામાં લોકોને જેલમાં મોકલીને ઘણા લોકોની જીંદગી બરબાદ થઈ ગઈ છે.

બાઇડેન કહ્યું કે લોકોને એવા વર્તન માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેના પર હવે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે ગાંજા માટે જેલમાં જતા વંશીય લઘુમતીઓની સંખ્યા ઘણી વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હું મારિજુઆનાના ઉપયોગને લઈને અપરાધિક નીતિ બદલવા માટે ત્રણ પગલાં લેવા જઈ રહ્યો છું. આમાં, પ્રથમ, કેનાબીસ રાખવાના તમામ આરોપીઓને સંઘીય કાયદા હેઠળ માફી આપવામાં આવે છે.

(1:17 am IST)