સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં સાંસદ ફંડના નાણાંનો ઉપયોગ કરશે અરુણજેટલી
અઢી કરોડના પહેલા હપ્તા માટેનો પત્ર રાયબરેલી તંત્રને પણ મોકલી દીધો
નવી દિલ્હી :કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ પોતાની સાંસદ ફંડના નાણા સોનિયા ગાંધીના સંસદીય મત વિસ્તાર રાયબરેલીમાં ખર્ચ કરશે. તેના માટે તેમણે અઢી કરોડના પહેલા હપ્તા માટેનો પત્ર રાયબરેલી તંત્રને મોકલી દીધો છે.
અહેવાલ મુજબ સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં વિકાસ કાર્ય માટે પોતાના ફંડનો ઉપયોગ કરવાનો નિર્ણય અરૂણ જેટલીએ પોતે લીધો છે. જેટલીના આ પગલાને ગાંધી પરિવારના ગઢમાં ભાજપની પહોંચ વધારવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે.
મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રાજ્યસભા સાંસદ પોતાના તરફથી પસંદ કરાયેલા જિલ્લામાં પાંચ કરોડ રૂપિયાના વિકાસ કાર્ય માટે જિલ્લા કલેકટરને જણાવી શકે છે. અરૂણ જેટલી નવેમ્બરના પહેલા અથવા બીજા સપ્તાહમાં રાયબરેલીનો પ્રવાસ કરી શકે છે.