કલમ 102(3) CrPC. મુજબ બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અંગેની માહિતી જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટને આપવી જોઈએ : જપ્તી અંગેની માહિતી લાંબા વિલંબ બાદ મેજીસ્ટ્રેટને આપવામાં આવી હોવાથી મદ્રાસ હાઇકોર્ટે બેંક એકાઉન્ટ જપ્ત કરવાનો આદેશ રદ કર્યો
ચેન્નાઇ : મદ્રાસ હાઈકોર્ટે લોન ફ્રોડની તપાસ માટે જપ્ત કરાયેલ ખાતાને ડિ-ફ્રીઝ કરવાનો આદેશ આપતાં અવલોકન કર્યું કે CrPCની કલમ 102(3)ની ફરજિયાત આવશ્યકતા છે કે જપ્તીની માહિતી મેજિસ્ટ્રેટને આપવી જોઈએ. જસ્ટિસ જીકે ઈલાન્થિરૈયાએ કહ્યું કે આ કેસમાં જપ્તી અંગેની માહિતી લાંબા વિલંબ બાદ આપવામાં આવી હતી.
તેમણે કહ્યું, માનનીય સર્વોચ્ચ અદાલત અને આ અદાલતે વારંવાર કહ્યું છે કે CrPC ની કલમ 102(3) હેઠળની જોગવાઈ જરૂરી છે કે પોલીસ અધિકારીએ જપ્તીના અધિકારક્ષેત્રની મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી જોઈએ. આ કિસ્સામાં એકાઉન્ટ 18.02.2021 ના રોજ ફ્રીઝ કરવામાં આવ્યું હતું અને તેની માહિતી સંબંધિત મેજિસ્ટ્રેટને 17.09.2021 ના રોજ આપવામાં આવી હતી.
આમ, Cr.P.C.ની કલમ 102(3) હેઠળ વિચારવામાં આવેલી સ્થિતિનું મેજિસ્ટ્રેટ સમક્ષ તરત જ જપ્તીની જાણ કરવા માટેનું પાલન કરવામાં આવ્યું નથી .
કાયદાની આ જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી ન હોવાથી, કોર્ટે બેંક એકાઉન્ટ જપ્ત કરવાના આદેશને રદ કરવાનું યોગ્ય માન્યું. જો કે કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પ્રતિવાદીને કાયદા મુજબ તપાસ આગળ વધારવા અને અરજદારના ખાતાને ફ્રીઝ કરવાની સ્વતંત્રતા છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.