News of Monday, 8th August 2022
૨૪ કલાકમાં ૧૬ હજારથી વધુ કેસઃ ૪૧ના મોત
કોરોનાના સક્રિય દર્દીઓનો આંકડો ૧.૩૫ લાખને પાર
નવી દિલ્હી, તા.૮: દેશમાં હજુ પણ સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા એક લાખથી ઉપર છે જે ચિંતાનો વિષય છે. સોમવારે (૮ ઓગસ્ટ) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧,૩૫,૫૧૦ થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીમાં ૫૭૭ વધુ છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૧૬૭ નવા કેસ નોંધાયા છે અને ૧૫,૫૪૯ લોકો સ્વસ્થ પણ થયા છે. આ દરમિયાન ૪૧ દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૫,૨૬,૭૩૦ લોકોના મોત થયા છે.
(11:15 am IST)