News of Wednesday, 8th August 2018
કરૂણાનિધિના અંતિમ દર્શન માટે રજનીકાંત સહિતના દિગજ્જ રાજકીય નેતાઓ પહોંચ્યા
ચેન્નાઇ :તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના સુપ્રીમો એમ કરૂણાનિધિના નિધન બાદ તમિલનાડુમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાજાજી હોલ ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારે દેશના તમામ નેતા તેમજ સેલિબ્રિટિઝ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. રજનીકાંત અને અન્ય રાજકીય નેતાઓ પણ શ્રધ્ધાંજલી માટે પહોંચ્યા છે.
(12:06 pm IST)