મુખ્ય સમાચાર
News of Wednesday, 8th August 2018

આપણે એક મોટા જમીની નેતા,સફળ વિચારક, પ્રસિદ્ધ લેખક,અને નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા:વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરુણાનિધિ સાથેની જૂની તસ્વીર ટ્વીટર પર મૂકીને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ,કરુણાનિધિની 94 વર્ષની વયે નિધન થયું છે ,રાષ્ટ્રપતિ ,ઉપરાષ્ટ્રપતિ,વડાપ્રધાન,ભાજપ અધ્યક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ સહિતનાએ તેઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરુણનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે સાથે કરુણાનિધિ સાથેની પોતાની એક જૂની તસ્વીર શેર કરીને સંવેદના વ્યક્ત કરી છે

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે કરુણાનિધિના નિધનના અહેવાલ સાંભળીને દુઃખી છું,તેઓ ભારતના વરિષ્ઠમ નેતાઓ પૈકીના એક હતા ,આપણે એક મોટા નેતા,સફળ વિચારક,પ્રસિદ્ધ લેખક,અને એક નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા છેજેને પોતાનું જીવન ગરીબો,અને હાંસિયામા રહેલા લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું

 

(12:00 am IST)