મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

ત્રણ વર્ષમાં દેશના દરેક ઘરમાં સ્માર્ટ મીટર લાગશે:પ્રી-પેઇડ મીટરને રિચાર્જ કરવું પડશે

 

નવી દિલ્હી ;આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં હવે દરેક ઘરમાં સ્માર્ટ મીટર લાગશે. તેના માટે કાગળ પર અપાતું કોઇ બિલ નહિ આવે, પરંતુ મોબાઇલની જેમ તે પ્રીપેઇડ હશે. એટલે કે લોકોને પોતાની વીજળીના વપરાશનો અંદાજ રાખીને તેને રીચાર્જ કરવાનું રહેશે

 કેન્દ્રીય વીજ પ્રધાન આરકે સિંહે કહ્યું હતું કે  સ્માર્ટ પ્રી-પેઇડ મીટરનું ઉત્પાદન વધારો અને તેની કિંમત કરવી સમયની માગ છે.આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ ઘરોમાં મીટર લગાડાશે 

(12:00 am IST)