મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ચૂંટણી રેલીઓ વગર પણ પાટનગર દિલ્હીમાં ૭ હજારથી વધુ કેસ નોંધાયા: ૨૪ કલાકમાં ૨૪ ના મોત : પોઝિટિવિટી રેઈટ ૮.૧૦ %:

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. કોરોનાનો વ્યાપ વધતો જાય છે અને છેલ્લા ૨૪ કલાકમાં મોડી રાત સુધીમાં મળતા અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોના ના ૭૪૩૭ કેસ નોંધાયા છે.

૯૧ હજાર થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે: જ્યારે ૩૬૮૭ દર્દી સાજા થયા છે. પોઝિટિવિટી ૮.૧૦ ટકા છે. દિલ્હીમાં કુલ મૃત્યુઆંક ૧૧૧૫૭ ઉપર પહોંચ્યો છે.

આજે દિલ્હીમાં ૪૨૨૬ કન્ટેઇનમેન્ટ ઝોન હોવાનું જાણવા મળે છે. કેજરીવાલ  સરકારના દાવા મુજબ ૧૧ હજાર લોકો હોમાઈ ચૂક્યા છે, જ્યારે હોસ્પિટલોમાં ૪૬૦૧ બેડ અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં ૫૪૧૭ બેડ ખાલી પડયા છે.

 

(12:19 am IST)