મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ઓડિશા સરકારે 10 જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો : છત્તીસગઢથી સીમાવર્તી જિલ્લાથી આવનારાને કોવિડ 19 ટેસ્ટ કરાવવો અનિવાર્ય

રાજ્યના જિલ્લામાં રાતે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે

ઓડિશા સરકારે 10 જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો છે એક અધિકારીએ જણાવ્યું કે સુંદરગઢ, બરગઢ, ઝારસુગુડા, સંબલપુર, બલાંગીર, નૌપાડા, કાલાહાંડી, મલ્કાનગિરી, કોરાટપુર અને નબરંગપુર જિલ્લામાં રાતે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. સ્વાસ્થ્ય સેવા નિર્દેશક વિજય પણિગ્રહીએ કહ્યું કે ઓડિશામાં છત્તીસગઢથી સીમાવર્તી જિલ્લાથી આવનારા કોવિડ 19 તપાસ કરાવવાની રહેશે.

(11:36 am IST)