પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું મોટુ નિવેદન : ગર્દનના બદલે ગર્દન તોડી દઇશુ : આર.એસ.એસ.ની તાલીમ છે : વડાપ્રધાન મોદીજીએ કૂચ બિહાર રેલીમાં મોટો દાવો કર્યો
કોલકતા : પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે ગર્દનનો બદલે ગર્દન તોડી દઇશુ, આર.એસ.એસ.ની તાલીમ છે તેમ કહેલ છે તેમજ વડાપ્રધાન મોદીની કુચ બિહાર રેલીમાં મોટો દાવો કર્યો છે.
પીએમ મોદીએ કૂચબિહારની રેલીમાં કહ્યું કે જો હું કહું છું કે તમામ હિંદુઓ એકસાથે થઈ જાઓ તો મને ચૂંટણી આયોગની નોટિસ આવી હોત. એટલે કે મોદી જે કહેવા ઈચ્છતા હતા તે કહી ગયા. અમિત શાહ તો 200થી વધારે સીટ જીતવાનો દાવો પણ કરી રહ્યા છે. મોદી-શાહના દાવા કેટલા સાચા છે તે 2 મહિના બાદ મેમાં ખબર પડશે.તેની પર વિશ્વાસની પાછળ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની તાકાત છે જેણે પશ્ચિમ બંગાળમાં ભાજપને નવી ધાર આપી છે.
સંઘે શહેરની ગલીઓ અને ગામની પગડંડીઓમાં તૃણમૂળ કોંગ્રેસ અને વામપંથી દળના કાર્યકર્તાઓને 2-2 હાથ કરીને ભાજપને માટે જમીન તૈયાર કરી છે. ખડગપુરની રેલીમાં મોદીએ દિલિપ ઘોષના વખાણ કર્યા અને કોઈ મોટો સંકેત આપ્યો નથી. ભદ્રલોક પર ઘોષ પોતાના પર હુમલો ઝેલીને ભાજપનો ઝંડો બુલંદ કરતા આવ્યા છે. ત્યારે જ પીએમ મોદીએ કહેવું પડ્યું કે અમારી પાસે દિલિપ ઘોષ જેવા નેતા છે અને મને વિશ્વાસ છે કે બંગાળમાં અમારી સરકાર આવવા જઈ રહી છે. ભાજપના 120 જેટલા કાર્યકરોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે જેથી બંગાળ આબાદ રહે. દિલિપ ઘોષ ક્યારેય આરામથી સૂતા નથી અને ન તો દીદીની ધમકીઓથી ડર્યા છે. મોતને ઘાટ ઉતારવાની કોશિશરૂપે અનેક હુમલા પણ કરાયા હતા. પણ આજે પણ તેઓ બંગાળમાં નવી ઉર્જા ભરી રહ્યા છે.
હિંદુ જાગરણ મંચના પ્રચારકથી ભાજપના અધ્યક્ષ બનેલા દિલિપ ઘોષે ટીએમસીને તેની ભાષામાં જવાબ આપવાની રણનીતિ બનાવી છે. જ્યારે ગર્દનના બદલે ગર્દન તોડી દઇશુંના નિવેદન તેઓએ આપ્યા તો તેમની ટીકા થઈ પણ કાર્યકર્તાના અપમાનને સહન ન કરવાનો સંકલ્પની આડમાં તેઓ યોગ્ય પૂરવાર થયા. 2016માં વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 3 સીટ પર સમેટાતી ભાજપને આશા ન હતી કે 3 વર્ષ બાદ લોકસભાની ચૂંટણીમાં તેમના વોટ પ્રતિશત 40 ટકા થશે. તેમના પાછળ સંઘનું મગજ કામ કરી રહ્યું હતું.