News of Monday, 8th March 2021
ઔરંગાબાદમાં સપ્તાહના અંતે કડક લોકડાઉન રહેશેઃ ૧૧ માર્ચથી ૪ એપ્રિલની વચ્ચે રાત્રે કડક નિયમો લાગુ
સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરેજ હોલ અને સ્કૂલ કોલેજ બંધ કરવાનો નિર્ણય
ઔરંગાબાદમાં કોરોના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વિકેન્ડ પર લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં માહિતી આપતાં એકનાથ શિંદેએ કહ્યું કે વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને, ૧૧ માર્ચથી ૪ એપ્રિલની વચ્ચે ઔરંગાબાદમાં રાત્રે કડક નિયમો લાગુ કરવામાં આવશે. રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી નિયમોનું પાલન કરવું પડશે. સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન થશે. સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરેજ હોલ અને સ્કૂલ કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(3:08 pm IST)