ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો
ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમા શિવસેના (ઉધ્ધવઠાકરે જુથ)ના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારોના કરવામાં આવ્યો છે. પક્ષની શિવ સંવાદયાત્રા દરમ્યાન ઔરંગાબાદના વૈજાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી.આ યાત્રા દરમ્યાન થયેલ પથ્થરમારાની ઘટના પર પ્રતિક્રિયા આપતા વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવે ઍ કહયુ કે કાફલા પર પથ્થર ફેîકાયો હતો. જયારે અમે સભાસ્થળેથી જઇ રહયા હતા. આ દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય રમેશ જન્મારેના સમર્થનમાં લોકોઍ નારાઅો લગાવ્યા હતા. ભીડમાં ઉપસ્થિત અસામાજીક તત્વો દ્વારા બે જુથો વચ્ચે તીરાડ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અંબાદાસ દાનવેઍ આ ઘટનામાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બાબતે મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની ગંભીરતાથી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે