એક્ઝિટ પોલ બાદ દિલ્હીમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે રાત્રે બોલાવી તાકીદની બેઠક : દિલ્હીના તમામ 7 સાંસદોને તેડું
માં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે: અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે
નવી દિલ્હી : એક્ઝિટ પોલના બહાર આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત ભાઈ શાહે દિલ્હીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે
. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં દિલ્હી ભાજપના અન્ય અધિકારીઓને પણ આમંત્રણ અપાયું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ તેના પ્રચારમાં સંપૂર્ણ બળ આપ્યું હતું. પીએમ મોદી સહિત ઘણા મોટા નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ દિલ્હીમાં એક મહાન વિજય નોંધાવશે પરંતુ એક્ઝિટ પોલના આંકડા પક્ષની તરફેણમાં નથી. આવી સ્થિતિમાં, અમિત શાહ આ મુદ્દે ચર્ચા કરવા માટે દિલ્હી ભાજપના નેતાઓને મળી શકશે તેવી અપેક્ષા છે.