મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

ભારત અને અમેરિકા ખભે ખભા મિલાવી વિશ્વ વ્યાપ્ત આતંકવાદને નાબૂદ કરશે : અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્ત રાજદૂત શ્રી તરણજિત સિંઘ સંધુ

વોશિંગટન : અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્ત રાજદૂત શ્રી તરણજિત સિંઘ સંધુએ ગુરુવારના રોજ પ્રેસિડન્ટ સમક્ષ પોતાનો નિમણુંક પત્ર આપી દીધો છે.આ તકે તેમના માનમાં યોજાયેલા સ્વાગત સમારોહમાં  તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ખભે ખભા મિલાવી વિશ્વ વ્યાપ્ત આતંકવાદને નાબૂદ કરશે

તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો દ્રઢ બનાવવા બદલ ઇન્ડિયન  અમેરિકન પ્રજાજનોને બિરદાવ્યા હતા તથા આ અગાઉ પોતાની અમેરિકામાં  નિમણુંક અંગે ઉલ્લેખ કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)