મતદાન પહેલા હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા કેજરીવાલ, મનોજ તિવારીએ પણ મંદિરમા પૂજા કરી
દિલ્લી વિધાનસભા ચૂંટણીથી એક દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભાજપાની દિલ્લી ઇકાઇના પ્રમુખ મનોજ તિવારીએ શુક્રવારના રાષ્ટ્રીય રાજધાનીના મંદિરોમાં દર્શન કર્યા બાદમાં મુખ્યમંત્રીએ કહ્યું કે એમણે દિલ્લીના લોકોની પ્રગતિ માટે પ્રાર્થન કરી. કેજરીવાલએ હિન્દીમાં ટવિટ કર્યુ સીપીના પ્રાચીન હનુમાન મંદિર જઇ હનુમાનજીના આશીર્વાદ લીધા દેશ અને દિલ્લીની પ્રગતિ માટે પ્રાર્થના કરી.
આ રીતે લોકોની સેવા કરતા રહો, ફળ મારા પર છોડી દો, બધુ સારૂ થશે. મનોજ તિવારીએ પ્રસિદ્ધ છતરપુર મંદિર અને કાલકાજી મંદિરમા દર્શન કર્યા. એમણે કહ્યું મે દિલ્લીના લોકોની ખુશી માટે પ્રાર્થના કરી અને દેવીના આર્શીવાદ માંગ્યા કે તે લોકોને વિવેકપૂર્ણ રીતે મતદાન કરવામા સક્ષમ બનાવે. દિલ્લીમા કુલ ૭૦ વિધાનસભા ક્ષેત્રો માટે ૧૩૦૦૦ થી વધારે મતદાન કેન્દ્ર બનાવવામા આવ્યા છે.