શાહીનબાગના પ્રદર્શનકારીઓએ કહ્યું સૌથી વધારે મતદાન કરશું
નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહેલ શાહીનબાગના પ્રદર્શનકારીઓએ કહું કે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં તે સૌથી વધારે સંખ્યામા મતદાન કરશે અને પુરી દિલ્લીમા સૌથી વધારે મતદાન અહીંથી થશે. પ્રદર્શનકારી મહિલાઓએ આઇએએનઅસને કહ્યુ અમે મતદાન કરવા જશુ અને અહીં હાજર બધા લોકોને અપીલ કરશુ કે તે પણ વધારેમાં વધારે સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ બાબત તૈયારીઓ ચાલી રહી છે. અને આપણે ઇચ્છીએ કે પુરી દિલ્લીમાં સૌથી વધારે મતદાન શાહીનબાગથી થાય.
સવાલ ઉઠી રહ્યો છે કે શુ આઠ ફેબ્રુઆરીના દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં શાહીનબાગના પ્રદર્શનકારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે કે ન કરે આના પર જારી અટકળો વચ્ચે આઇએએનએસએ અહી આ બાબતની તૈયારીઓનો તાગ મેળવ્યો પ્રદર્શનકારીઓએ કહ્યું લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અહીં પ્રદર્શન સ્થળથી આવી જઇ શકે આના માટે ૧૦ ઇ-રીક્ષા ઓટો મુકવામા આવશે.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે અહી લોકોને અપીલ કરવામા આવી રહી છે કે થઇ શકે તો તે પહેલા મતદાન કરે પછી અહી પ્રદર્શન સ્થળ પર આવી જાય. અમે વ્હીલચેરનો પણ ઉપયાગ કરીશુ જેથી વૃદ્ધજનો અહીંથી મતદાન કેન્દ્રો પર જઇ શકે.