મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ફ્રી કાશ્મીર'નાં પોસ્ટર પર અનુપમ ખેર ભડક્યા : કહ્યું આ વિદ્યાર્થીઓનું આંદોલન નથી,ઉદેશ્ય કંઈક જુદો છે

પ્રદર્શનમાં આવું પોસ્ટર કેમ બતાવવામાં આવ્યું? એનું શું કનેક્શન છે?

મુંબઈ:દેશમાં જેએનયુમાં થયેલી હિંસાને લઈ બબાલ મચી ગઈ છે. જા કે એક મોટો વર્ગ આ બધાની વિરોધમાં છે. દિલ્હીમાં ઘટેલી આ ઘટનાનો પડઘા પુરા દેશમાં પડ્યા છે અને ચોમેર હિંસાને લઈ લોકો પોતાનો મત રાખી રહ્યા છે. ત્યારે બોલિવૂડમાં પણ આ હિંસાને લઈ સેલેબ્રિટીએ પોતાનો મત રજુ કર્યો છે. જેએનયુના આ વિરોધમાં એક વાત નવી એ બની કે કાશ્મીરના પોસ્ટરો દેખાવા લાગ્યા. મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડયા પર પ્રદર્શનકારી વિરોધ કરી જ રહ્યા છે.

હવે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પણ આ પોસ્ટર પોતાના ટ્‌વીટર પર શેર કર્યું છે. તેણે પોસ્ટર શેર કરીને લખ્યું કે, જેએનયુ હિંસા પર થઈ રહેલા આ પ્રદર્શનમાં આવું પોસ્ટર કેમ બતાવવામાં આવ્યું? એનું શું કનેક્શન છે? શું કોઈ જિમ્મેદાર વ્યક્ત આ પ્લેકાર્ડનો વિરોધ કરી છે? જા જવાબ ના હોય તો સોરી આ વિદ્યાર્થીનું આંદોલન નથી. એનો ઉદેશ્ય કંઈક અલગ જ છે.

(12:42 am IST)