મુખ્ય સમાચાર
News of Wednesday, 7th December 2022

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે કહ્યું કે બંગાળની ખાડી પર સર્જાયેલ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આવતીકાલે ૭ ડિસેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને ૮મી ડિસેમ્બરે તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરીને અડીને આવેલા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે

આંધ્ર પ્રદેશ, તમિલનાડુના મુખ્ય સચિવો અને પુડુચેરીના વરિષ્ઠ અધિકારીઓએ સાવચેતીના પગલાં વિશે માહિતી આપી હતી. સંભવિત વાવાઝોડાનો સામનો કરવા સાબદા કરાયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની અને જે લોકો દરિયામાં ગયા છે તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.   ઈમરજન્સી સેવાઓ ખડેપગે રાખવામાં આવી છે.

(12:59 am IST)