ભાજપનાં ઇશારે મને કાઢી મુક્યો :હું અલગ અખાડો શરૂ કરીશ: કોમ્પ્યુટર બાબા
કોમ્પ્યુટર બાબાએ અગાઉ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.: અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલતા હોવાનો આરોપ
ભોપાલ :મધ્યપ્રદેશમાં ધર્મગુરુ કોમ્પ્યુટર બાબાને તાજેતરમાં દિગમ્બર અનીલ અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.તેમને મધ્યપ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જો આપ્યો હતો પણ છેલ્લા થોડા મહિનાઓથી તેઓ ભાજપની શિવરાજસિંહ સરકારની ટિકા કરતા હતા અને અંતે તેમને અખાડામાંથી હાંકી કઢાયા હતા.
હવે કોમ્પ્યુટર બાબા તેમનો અલગ અખાડો શરૂ કરશે. ઉત્તર પ્રદેશનાં કુંભમેળો શરૂ થાય તે પહેલા તેઓ નવો અખાડો શરૂ કરશે. કોમ્પ્યુટર બાબાએ એવો આરોપ લગાવ્યો છે કે, અખીલ ભારતીય અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમને અખાડા પરિષદમાંથી ખોટી રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, મને એવા સમયે અખાડા પરિષદમાંથી હાંકી કાઢવામાં આવ્યો જ્યારે હું નર્મદા બચાવો અભિયાન ચલાવી રહ્યો હતો. અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલે છે”.