મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ગંગા રક્ષા મુદ્દે ઉપવાસ પર બેઠેલા સંત ગોપાલદાસ દૂન હોસ્પિટલમાંથી લાપતા

સીએમ કેજરીવાલે મોદી સરકાર પર લગાવ્યા આરોપ

દેહરાદૂન:ગંગા નદીની રક્ષા મામલે સંત ગોપાલ દાસ ઉપવાસ પર બેઠા છે. તેમનું સ્વાસ્થ્ય લથડતા દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 ૩૬ વર્ષીય સંત ગોપાલ દાસ ગંગા નદી માટે ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસનો ૧૫૬ દિવસ હતો ત્યારે તેમને દબાણપૂર્વક એમ્સ હોસ્પિટલ માંથી ધકેલી મુકવામાં આવ્યા હતા .

  મળતા અહેવાલ મુજબ દૂન હોસ્પિટલ માંથી સંત ગોપાલ દાસ લાપતા છે આ પહેલા દિલ્લીની એમ્સ હોસ્પિટલમાંથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા.

(10:45 am IST)