News of Thursday, 6th December 2018
હરિભકતો અને સ્વયંસેવકો દ્વારા ઝંડીઓ ફરકાવી સ્વામીજી - મુખ્યમંત્રીનું સ્વાગત
રાજકોટ : પ.પૂ. પ્રમુખસ્વામીના ૯૮માં જન્મજયંતિ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પૂ. મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આગમન થયું ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભકતો અને સ્વયંસેવકો દ્વારા ઝંડીઓ ફરકાવી. સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, ડો. વલ્લભભાઇ કથીરીયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી રામાણી, શ્રી ભીખાભાઇ વસોયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી તેમજ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(12:00 am IST)