મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

કેદારનાથ વિરુદ્ધ મુંબઈ હાઇકોર્ટમાં અરજી :ગુરુવારે સુનાવણી

કેદારનાથ ફિલ્મ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે :સેન્સર ફરીથી સમીક્ષા કરે

મુંબઈ :કેદારનાથ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર ગુરૂવારે સુનાવણી થશે.અરજીકર્તાએ માંગ કરી છે કે, CBFC ફરીથી ફિલ્મ સેન્સર પ્રમાણની સમીક્ષા કરે, કારણ કે, ધાર્મિક સ્થળ પર પ્રેમ કહાનીનું ફિલ્માંકન લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે

 . અરજી વકીલ રમેશચંદ્ર મિશ્રા અને વકીલ ત્રિપાઠીએ દાખલ કરી છે.અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ મુશ્કેલીમાં ફસાતી દેખાઈ રહી છે. ફિલ્મ કેદારનાથ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

  આ અરજીમાં ફિલ્મ દ્વારા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ધાર્મિક સ્થળ પર પ્રેમ કહાનીનું ફિલ્માંકન ન કરવું જોઈએ. આ મામલામાં હવે બોમ્બે હાઈકોર્ટમાં ગુરૂવારે સુનાવણી થશે.

(12:00 am IST)